પ્રકરણ 1
માનવ ભૂગોળ: પરીચય
માનવ ભૂગોળ - પ્રસ્તાવના
• ભૂગોળ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે.
• ભૂગોળ યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરે છે.
• ભૂગોળનું જ્ઞાન બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય :
1. પદ્ધતિસર અભિગમને આધારે
2. પ્રાદેશિક અભિગમને આધારે
• માનવ ભૂગોળ એ પદ્ધતિસર અભિગમની વિષય શાખા છે.
• આ માનવ ભૂગોળમાં માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ પ્રક્રિયાઓથી જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ઉદભવેછે તેનો અભ્યાસ કરવામાં આવે છે.
ભુગોળ વિષયનો ઉદ્ભવ
• 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે.
• આ સમયગાળા દરમિયાન શોધ પ્રવાસો થયા.
• જુદાજુદા વિસ્તારોની માહિતી એકત્ર કરવામાં આવી.
• નકશા નિર્માણ કાર્ય શરૂ થયું.
• ભૂગોળવિદોએ આ બધી માહિતીને વૈજ્ઞાનિક ભાષામાં વર્ગીકૃત કરી.
• આનાથી ભુગોળ વિષયનો ઉદભવ થયો.
માનવીની પ્રવૃતિઓ
• માનવ ભૂગોળમાં માનવ કેન્દ્ર સ્થાને છે.
• માનવીની પ્રવૃત્તિ તેના નિવાસસ્થાનના વિસ્તારને આધારે નક્કી થાય છે.
• જેમકે....
• મેદાની પ્રદેશમાં વસતો માનવી ખેત પ્રવૃત્તિ કરે છે.
• જંગલમાં વસ્તુઓ માનવી જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરે છે.
• સમુદ્ર કિનારે વસ્તુઓ માનવી મત્સ્યયનની પ્રવૃત્તિ કરે છે.
• આ રીતે માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધોથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓથી ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર તૈયાર થાય છે.
ભૂગોળનું વિષયવસ્તુ
• બર્નાર્ડ વેરેનિયસે માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધોને ધ્યાનમાં રાખી ભૂગોળના વિષયવસ્તુ અને ત્રણ પેટા વિભાગોમાં વર્ગીકૃત કર્યા છે.
1. ખગોળ વિષયક લાક્ષણિકતાઓ
2. સ્થળીય લક્ષણિકતાઓ
3. માનવીય લાક્ષણિકતાઓ
ભૂગોળના તત્વો અને શાખાઓ
• ભૂગોળ પૃથ્વી પર આવેલા જુદા જુદા તત્વો અને પાસાંનો માનવના સંદર્ભમાં અભ્યાસ કરે છે.
• પૃથ્વી પરના તત્વોની આધારે ભૂગોળને બે વર્ગોમાં વહેંચવામાં આવે છે.
1. પ્રાકૃતિક અથવા ભૌતિક તત્વો
2. માનવીય અથવા સાંસ્કૃતિક તત્વો
• આ તત્વોને આધારે માનવ ભૂગોળની બે શાખાઓ વિકસી છે.
1. પ્રાકૃતિક અથવા ભૌતિક ભૂગોળ
2. માનવ ભૂગોળ
માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ
• ૧૯મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળ નામની શાખાઓનો વિકાસ થયો.
• પરંતુ તેની પ્રતિક્રિયારૂપે કેટલાક ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધોના અભ્યાસને વધુ મહત્વ આપ્યું.
• જેના પરિણામે માનવ ભૂગોળ શાખાનો ઉદભવ થયો.
• માનવીના ઘર તરીકે ભૂગોળનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે.
• માનવ ભૂગોળ 3 બાબતોના અભ્યાસને વધુ મહત્વ આપે છે.
1. પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ
2. માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને તે પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો
3. વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતાઓનું અધ્યયન
માનવ ભૂગોળના અભ્યાસના પાસાં
• માનવીની બધી જ ક્રિયાઓ પર ભૌતિક પર્યાવરણની અસર થાય છે.
• માનવી ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને પોતાનું સાંસ્કૃતિક પર્યાવરણ બનાવે છે.
નીચેના પાસાઓનો અભ્યાસ માનવ ભૂગોળ દ્વારા થાય છે.
• પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ
• સાંસ્કૃતિક પર્યાવરણ ઉદભવ થવાના કારણો
• વિશ્વના જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓ
• માનવીની સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ વગેરે...
• પ્રકૃતિ અને માનવ બંનેને સમગ્રતાની દ્રષ્ટિએ સમજાવવાનો પ્રયત્ન માનવ ભૂગોળ કરે છે.
માનવ ભૂગોળની વ્યાખ્યાઓ
• ફ્રેન્ચ ભૂગોળવેત્તા
જીન બ્રુંસ - માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયાપ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે.
• ફ્રેડરિક રેટઝેલ - માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધોનું સંયોજીત અધ્યયન માનવ ભૂગોળ કરે છે.
• કુમારી એલન સી સેમ્પલ- માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન છે.
• પોલ વિડાલ ડી લા બ્લાશ - આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી ઉપર રહેનારા સજીવો વચ્ચેના સંબંધોના સંયોજિત જ્ઞાનમાંથી ઉત્પન્ન સંકલ્પના એટલે માનવ ભૂગોળ.
• એલસવર્થ હન્ટિંગટન - ભૌગોલિક પર્યાવરણ તથા માનવી ની ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ.
વિવિધ ભૂગોળવિદોના વિચારો – મંતવ્યો
• એરિસ્ટોટલ, બકલ, હંબોલ્ટ,
રીટર વગેરે વિદ્વાનોએ ઇતિહાસ ઉપર ભૂમિના
પ્રભાવને મહત્વ આપ્યું.
• રેટ્ઝલ અને કુમારી એલન સેમ્પલે ભૌતિક પર્યાવરણ માનવ ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજાવ્યું.
• હન્ટિંગટને
સમાજ સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાના પ્રભાવને સમજાવ્યું.
• વિદ્વાનોના આ વિચારોથી સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના સંબંધોને મહત્વ આપે છે.
• માનવ ભૂગોળ એ ગત્યાત્મક વિજ્ઞાન છે.
માનવ ભૂગોળનું વિષયવસ્તુ
• માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે.
• જુદા જુદા પ્રદેશો પ્રમાણે માનવીઓના રંગ, સ્વાસ્થ્ય, વસ્ત્ર, રહેઠાણ, ભાષા, ધર્મ, સામાજિક માળખું વગેરે અનેક બાબતો અલગ અલગ હોય છે.
• સાંસ્કૃતિક ભિન્નતાઓ નું ઉત્તમ ઉદાહરણ યુએસએ અને ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશો છે.
• અમેરિકાના બે ગુણવત્તાઓ ફિન્ચ અને ટ્રેવાર્થાએ માનવ ભૂગોળ ના વિષયવસ્તુના બે વિભાગ પાડ્યા છે.
1. પ્રાકૃતિક પર્યાવરણ અને
2. સાંસ્કૃતિક પર્યાવરણ.
પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ માં સમાવિષ્ટ બાબતો
• પ્રાકૃતિક પર્યાવરણ
Ü ભુપૃષ્ઠ જળ પ્રણાલી જમીન વનસ્પતિ ખનીજો આબોહવા વગેરે કુદરતી તત્વો..
• સાંસ્કૃતિક પર્યાવરણ
Ü વસ્તી વસાહતો કૃષિ ઉદ્યોગો પરિવહન દૂરસંચાર વ્યાપાર વગેરે માનવસર્જિત બાબતો..
માનવ ભૂગોળ સાથે અનુબંધ ધરાવતા વિષયો
• વીસમી સદીની શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક પાસા પર ધ્યાન આપવામાં આવ્યું.
• પાછળથી માનવ સમાજ સામે આવેલી નવી સમસ્યાઓ અને પડકારો વિષયવસ્તુના કેન્દ્રમાં રહ્યા.
• ત્યારબાદ તત્કાલીન સમન્વયકારી અને આંતર વિષયક વિષયોનો સમાવેશ થયો.
• અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો માનવ ભૂગોળ સાથે અનુબંધ અને સહસંબંધ ધરાવે છે.
માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં સમાવિષ્ટ પાસાં
• માનવીની ઉત્પત્તિ તેની પ્રજાતિઓ અને પૃથ્વી પર માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ.
• માનવવસ્તીનું વિતરણ, વસ્તીગીચતા, વસ્તી વૃદ્ધિ, વસ્તીની વિશેષતાઓ અને માનવ વસ્તીનું સ્થળાંતરણ.
• માનવીની પ્રાથમિક,
દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ.
• ભૂમિસ્વરૂપો, વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ, ખનીજો વગેરે સાથે માનવીનો સંબંધ અને તેમની સાથેનું સમાયોજન.
• માનવ વસાહતો, ગ્રામીણ વસાહત પ્રણાલી, શહેરી વસાહત પ્રણાલી, વસાહતોની સમસ્યાઓ.
• માનવીની આર્થિક પ્રવૃત્તિઓ -શિકાર, પશુપાલન, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર અને વ્યાપાર.
• સામાજિક અને સાંસ્કૃતિક સંગઠન
• માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ - ભાષા-સાહિત્ય, શિલ્પ, સંગીત, ધર્મ, લોકસાહિત્ય, પરંપરાઓ વગેરે.
• ભવિષ્યના સંદર્ભમાં સંસાધનોની મૂલવણી અને સંરક્ષણની યોજનાઓ.
|
માનવ ભૂગોળના કાર્યો
1. માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ -
અહીં માનવ વસ્તી તેમની વિશિષ્ટતાઓ, કલા, કૌશલ્યો અને તેમના વિસ્તરણ સંકળાયેલા છે.
2. પારિસ્થિતિક વિશ્લેષણ -
અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે છે.
3. પ્રાદેશિક સમન્વય - અહીં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમો જોડી દેવામાં આવે છે. તેમાં અભ્યાસનો ઉદ્દેશ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો છે.
· જીન બ્રૂંસ અને ઍલ્સવર્થ હટિંગટન એ બતાવેલા માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રોના વિભાગોમાં શ્રમવિભાજન, માનવ દ્વારા પ્રાકૃતિક સંપદાઓનું શોષણ , વધુ પડતું ખનન, શહેરોની સમસ્યાઓ ,જંગલો અને પ્રાણીઓનો વિનાશ વગેરે બાબતોને મહત્વ આપ્યું છે.
માનવ ભળ અભ્યાસના અભિગમો
• માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો ત્રણ છે
1 . ઐતિહાસિક અભિગમ
Ü માનવીના ઉદ્ભવથી માંડી વર્તમાન સુધી પ્રાકૃતિક પર્યાવરણ સાથે તેના સંબંધો પરિવર્તનશીલ રહ્યા છે. ૧૮મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીએ તકનીકી અને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી. જેથી માનવીની જીવન જીવવાની શૈલીમાં પરિવર્તન થયા છે. આ અભિગમ દ્વારા માનવ અને પર્યાવરણમાં સમયની સાથે થયેલા પરિવર્તન સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
2. ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ
Ü વિશ્વના જુદા જુદા પ્રદેશો અને ભાગોમાં વસતા માનવીના માનવસર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આ અભિગમથી પ્રાપ્ત થાય છે. આ અભિગમ દ્વારા માનવ જીવનની શૈલીઓની વિવિધતા પ્રાપ્ત થાય છે. લગભગ 20 મી સદીના પ્રારંભ સુધી માનવ જીવનની શૈલી પ્રાકૃતિક પર્યાવરણને આધારિત હતી.
3. પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ
Ü માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે છે અને તકનીકી વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરે છે, તેનું વિશ્લેષણ આ અભિગમ દ્વારા કરવામાં આવે છે.
Ü પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકુળ પરિસ્થિતિઓની સાથે અનુકૂલન સ્થાપવામાં જે પારિસ્થિતિક પરિવર્તન જોવા મળે છે તેનો અભ્યાસ આ અભિગમમાં કરવામાં આવે છે.
• આ અભિગમ
સાથે બીજી બે વિચારધારાઓ જોડાયેલી છે.
1. નિશ્ચય વાદી (નિયતિ વાદી) વિચારધારા
2. સંભવવાદી વિચારધારા
• આ બંને વિચારધારાઓને ક્રમશઃ સમજવાનો પ્રયત્ન કરીએ.
નિશ્ચયવાદ કે નિયતિવાદ
• આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે.
• કોઈપણ માનવ સમુદાય, દેશનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ ,જીવનશૈલી અને વિકાસની માત્રાને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે.
• આ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ
ગણે છે.
• હિપોક્રેટ્સ, એરિસ્ટોટલ, હિરોડોટસ, સ્ટ્રેબો વગેરે વિદ્વાનોએ માનવી ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવ્યો હતો.
• ત્યારબાદ કાન્ટ, હમ્બોલ્ટ, રિટર, કુમારી એલન સેમ્પલ તથા ઍલ્સવર્થ હટિંગટન દ્વારા આ વિચારધારાને અનુમોદન પ્રાપ્ત થયું હતું.
• કુમારી એલન સેમ્પલ અને ઍલ્સવર્થ હટિંગટન આ વિચારધારાના પ્રખર સમર્થક હતા.
સંભવવાદ
• આ વિચારધારામાં પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.
• જે વિચારધારામાં માનવીને સક્રિય સ્વરૂપે જોવામાં આવે તે વિચારધારાને સંભવવાદી વિચારધારા કહેવાય છે.
• સંભવવાદ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ લુસિયન ફાવરે
કર્યો હતો. તેના મત અનુસાર માનવી સંભાવનાઓનો સ્વામી છે, પ્રકૃતિના તત્વોના ઉપયોગ બાબતનો નિર્ણય માનવી જ કરે છે.
• ભૂગોળવેત્તા વિડાલ ડી લા બ્લાશે આ વિચારધારાનો વ્યવસ્થિત પ્રચાર કર્યો હતો.
• સંભવવાદી વિચારધારાની ઘણા વિદ્વાનોએ આલોચના કરી.
• એટલે નિશ્ચયવાદી વિચારધારા અને સંભવવાદી વિચારધારાનો સમન્વય કરતી
નવ- નિયતિવાદી વિચારધારા
ગ્રિફિથ ટેઈલરે
રજૂ કરી.
નવ-નિયતિવાદી વિચારધારા
• ગ્રીફિથ ટેઈલરે
આ વિચારધારા રજૂ કરી.
• તેને સમજાવ્યું કે પ્રાકૃતિક નિયમોનું પાલન કરીને પ્રકૃતિનો ઉપયોગ માનવીએ કરવાનો છે.
• માનવીએ સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરીને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.
• તેણે કહ્યું કે જો પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન થશે તો માનવ સમાજ સામે માનવસર્જિત સમસ્યા ઊભી થશે, માનવ વિકાસ રૂંધાશે.
4. વર્તનલક્ષી અભિગમ
• કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પન્ન થતું સાંસ્કૃતિક પર્યાવરણ તે ક્ષેત્રના માનવીના વ્યક્તિગત ગુણો, માન્યતાઓ, મૂલ્યો, ,વ્યવહારો, રીત-રિવાજો વગેરેનું પરિણામ છે.
• કોઈપણ પ્રદેશની પરિસ્થિતિ તેઓના લોકોના વર્તન પર અસર કરે છે.
• માનવ સમુદાયોના વર્તન અને જીવનશૈલીથી સાંસ્કૃતિક પર્યાવરણ ઉદભવે છે.
5. માનવ કલ્યાણલક્ષી અભિગમ.
• આ અભિગમ ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ ,જાતિભેદ, વર્ગ વિગ્રહો, આતંકવાદ, માનવસર્જિત હોનારતો વગેરેનો પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે.
• આ અભિગમ એવા પ્રકારની સામાજિક આર્થિક વ્યવસ્થા ઉપર ભાર મૂકે છે કે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય.
• આ અભિગમથી સામાજિક ન્યાયનો હેતુ પાર પાડી શકાય છે.
• જેનાથી માનવીને તેની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે અને માનવ કલ્યાણ સાધી શકાય.
• ઉપરોક્ત તમામ પાંચેય આ વિવિધ અભિગમો વિશે રિટર, રેટઝેલ, હંટિંગટન, બ્લાશ, બ્રુંસ, ડીમાજિયા, ફિન્ચ, ટ્રેવાર્થા, ડિકન્સ, વ્હાઇટ વગેરે વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા છે.
માનવ ભૂગોળના અભિગમોની તુલના
• માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો માનવ અને પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરે છે.
• નિશ્ચયવાદી વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે.
• કોઈ પણ રાષ્ટ્રનો ઇતિહાસ, સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી અને વિકાસની દિશાને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે.
• ઐતિહાસિક અભિગમ એ બાબતને સ્પષ્ટ કરે છે કે ભૌતિક પર્યાવરણની સમતુલા જળવાશે તો જ માનવ કલ્યાણ અને પ્રગતિ થઇ શકશે.
• પ્રાકૃતિક નિયમોનું પાલન કરવાથી જ માનવી પ્રકૃતિ પર વિજય મેળવી શકશે.
• સાંસ્કૃતિક પરિબળો અને પ્રાકૃતિક પરિબળો વચ્ચેના સંબંધો નિરંતર પરિવર્તનશીલ રહ્યા છે.
• પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકુળ પરિસ્થિતિઓ સામે અનુકૂલન સાધવા માનવી હંમેશા પ્રયત્ન કરતો રહ્યો છે.
• સંભવવાદી વિચાર ધારા પ્રાકૃતિક પર્યાવરણ ને બદલે માનવને વધુ મહત્વ આપે છે.
• માનવી પોતે જ સંભાવનાઓનો સ્વામી છે.
• માનવીની સર્જન શક્તિના કારણે મનુષ્યની કેન્દ્રીય અને ક્રિયાશીલ ભૂમિકાને પ્રાધાન્ય પ્રાપ્ત થાય છે.
• માનવ કલ્યાણલક્ષી અભિગમ સામાજિક ન્યાયનો હેતુ સિદ્ધ થાય તે માટે વિશ્વના બધા જ માનવોનો સૃષ્ટિના બધા જ સંસાધનો પર સમાન અધિકાર પ્રસ્થાપિત કરે છે.