મિત્રો, અહીં માર્ચ 2023 ની પરીક્ષા આવી રહી છે, તો પાસ થવા માટે અને વધુ સારા માર્ક્સ લાવવા માટે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં વિભાગ E ખૂબ જ ઉપયોગી વિભાગ છે. આ વિભાગમાં પાંચ ગુણના પ્રશ્નો પુછાય છે. કુલ 25 ગુણનો આ વિભાગ દરેક વિદ્યાર્થીઓ માટે પુરા ગુણ લાવવા માટે ખૂબ જ મહત્વનો છે. દરેક વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈ.એમ.પી. IMP પ્રશ્નો અહીં રજૂ કરું છું. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે.
Best of luck 👍👍👍
ધોરણ 12 મનોવિજ્ઞાન
વિભાગ E માટેના મોસ્ટ IMP પ્રશ્નો
પ્રકરણ 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ
1. ધ્રાણેન્દ્રિય પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી વિગતે સમજાવો
2. ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો.
૩. ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો.
4. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો.
5. દૃષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો.
6. ત્વચા અને સ્પર્શ સંવેદનની આકૃતિ સહ વિગતે સમજ આપો.
7. ઊંડાઈના પ્રત્યક્ષીકરણના અનેત્રિય સંકેતોની સમજૂતી આપો
8. ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો..
પ્રકરણ 2 શીખવાની ક્રિયા
1. થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફળશ્રુતિ સમજાવો.
2. પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો.
૩. સી.ટી. મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવો.
4. સ્કીનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો.
5. કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી બે લાકડી વાળો પ્રયોગ સવિસ્તાર સમજાવો.
પ્રકરણ 3 બુદ્ધિ
1. પ્રતિભાસંપન્નના લક્ષણો વર્ણવો.
2. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો.
૩. બુદ્ધિની કોઈપણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો.
4. સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં જી-G અને એસ-S ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો.
5. જે પી દાસના સિદ્ધાંતમાં PASS ની સમજૂતી આપો.
6. મનોદુર્બળતાના લક્ષણો સમજાવો.
7. બુદ્ધિનો અર્થ સમજાવી તેની વ્યાખ્યા આપો.
8. ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત સમજાવો.
પ્રકરણ 7 સલાહ અને મનોપચાર
1. સલાહની વ્યાખ્યા આપી, સલાહના સોપાનો સ્પષ્ટ કરો.
2. સલાહની આચારસંહિતા વિશે નોંધ લખો.
૩. રોજર્સના અભિગમ વિશે નોંધ લખો.
4. અષ્ટાંગ યોગના પગથિયા વર્ણવો.
5. ભાવાતીત ધ્યાન વિશે નોંધ લખો.
6. મનોપચારના અભિગમ તરીકે મનોવિશ્લેષણાત્મક અભિગમની સમજૂતી આપો.
7. મનોપચારના અભિગમ તરીકે "વર્તનોપચાર અભિગમ"ની સમજૂતી આપો.
પ્રકરણ 8. પર્યાવરણ અને વર્તન
1. માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સવિસ્તર સમજાવો.
2. માનવવર્તન પર પર્યાવરણની અસરો વર્ણવો.
૩. માનવવર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો.
4. પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો સમજાવો.
5. "ગ્રીનહાઉસ અસર" ની વિગતે ચર્ચા કરો.